March 11, 2026
ગુજરાત

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટ્રોક આવતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાયા છે જ્યાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ લઈ જવાયા હોવાની માહિતી મળી છે.

મીડિયા અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રવિવારે કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અનુજ પટેલની ખબર અંતર પૂછવા માટે કે.ડી. હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અનુજ પટેલ સાથે મુંબઈ ગયા હોવાની માહિતી છે. અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. પુત્રની નાદુરસ્તીના લીધે મુખ્યમંત્રીએ હાલના તેમના કાર્યક્રમો સ્થગિત કર્યા છે. આથી જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં પણ સીએમ હાજર નહીં રહી શકે.

CM જામનગરમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગેરહાજર રહેશે 

જણાવી દઈએ કે, આ વર્ષે જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે થઈ રહી છે. ત્યારે હવે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આ કાર્યક્રમ યોજાશે. માહિતી છે કે જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે.

Related posts

જાણો ૧૮ તારીખ સુધી ગુજરાતના કયા ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો