March 23, 2026
ગુજરાત

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું છે.

હાટકેશ્વર બ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ તરીકેનું નામ અપાયું હતું પણ તંત્રના ભ્રષ્ટાચારના કારણે આખરે આ બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો હતો. ભ્રષ્ટાચારી કામગિરી કરવાના કારણે બ્રિજનું બાંધકામ નબળુ હોવાનું બહાર આવ્યું હતું જેથી બ્રિજને બંધ કરી દેવાયો હતો.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. આખરે હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૃ કરાઇ છે. સવારથી જ જેસીબી મશીનો દ્વારા બ્રિજને તોડી પાડવાની કામગિરી કરાઇ રહી છે. બ્રિજને તોડવાનું શરુ કરાતા સ્થાનિક રહિશો પણ સ્થળ પર એકત્રીત થઇ ગયા હતા

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો મોટો પુરાવો છે અને તેના કારણે બ્રિજનું બાંધકામ હલકી કક્ષાનું હતું અને નબળું હતું જે લોકો માટે જોખમી પણ હતું. જેને પકોંગ્રેસ પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસગલે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા સતત આ બ્રિજના ભ્રષ્ટાચાર અને તેને જન હિત માટે જનતાની સુરક્ષા માટે બ્રિજ તોડવાની સરકારશ્રી ને રજૂઆતો કરતા અને કોર્ટમાં ન્યાય માટે સતત લડત આપી હતી જેને પગલે તેમની મેહનત રંગ લાવી છે અને આખરે લગભગ ૪૨ કરોડના ખર્ચે નિર્માણ કરાયું ભ્રષ્ટાચારી બ્રિજ તોડવાનું કામ હાથે ધરાયુ છે,

ઉલ્લેખનિય છે કે હાટકેશ્વર બ્રિજને ૨૦૧૫માં બનાવાનું કામ શરુ કરાયું હતું અને ૨૦૧૭માં પુલની કામગિરી પૂર્ણ થઇ હતી. જો કે ત્યારબાદ બ્રિજના બાંધકામ વિશે અનેક સવાલો ઉઠ્યા હતા અને તેથી કોર્પોરેશન દ્વારા અલગ અલગ એજન્સીઓ પાસેથી બ્રિજની ચકાસણી કરાઇ હતી. બ્રિજની ચકાસણીમાં પણ આ બ્રિજ હલકી કક્ષાનો અને તેનું બાંધકામ યોગ્ય રીતે ના થયું હોવાનું બહાર આવ્યું હતું

Related posts

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ને

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો