June 24, 2026
ગુજરાત

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

પોલખોલ યુટ્યુબ ચેનલના નામે શાળાઓમાંથી ખંડણી વસૂલનારા આશિષ કણજારીયા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તોડબાજ પત્રકાર આશિષ કણજારીયા વિરુદ્ધ વધુ ફરીયાદ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલોના ટ્રસ્ટીઓ પાસેથી ખંડણી માગી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આશિષે પોતાની ઓળખ આરટીઆઈ કાર્યકર્તા, વાલી મંડળના પ્રમુખ અને પોલ ખોલ ટીવીના સંપાદક તરીકે કરી અને શાળાઓમાંથી પૈસા પડાવ્યાના મામલે આશિષની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ પોલીસ રિમાન્ડ પર છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસ આ મામસે વધુ તપાસ કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ આશિષે સ્કૂલોના સંચાલકો પાસેથી ધમકી આપીને રુપિયા પડાવ્યા છે. આરોપી આરટીઆઈ કરીને સ્કૂલોના સંચાલકોને વોટ્સએપ કોલ કરી દબાવીને ધમકી આપતો હતો. ત્યારે અગાઉ આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 30થી જેટલી સ્કૂલો સામે આરટીઆઈ કરીને વિગતો મેળવી હતી.

Related posts

અમદાવાદ – કેન્દ્રીય ગૃહ મંત્રીના પ્રવાસને જોતા અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad Samay

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

admin

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર ડાઉનલોડ થવાના થયા શરૂ, આ રીતે કરો કોલ લેટર ડાઉનલોડ

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો