January 24, 2026
ગુજરાત

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

તાજેતરમાં ગુજરાતસ્તરની એક મુખ્ય હોદ્દેદારોની બેઠક જામનગર માં હિન્દુ સેના ગુજરાતના મુખ્ય કાર્યાલય પર મળી હતી. જેમાં શિક્ષણ વિભાગને લઈ અનેક ચર્ચા વિચારણા સાથે નિર્ણયો લેવાયા. આગામી સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી તેમ જ ગુજરાતની તમામ સ્કૂલોમાં ધર્મ આધારિત અનેક પ્રશ્નો પર સવાલો ઉઠ્યા છે જેમાં સચોટ જવાબ અને નિરાકરણ લાવવા પ્રયત્ન હિન્દુ સેના કરશે.

આ બેઠકમાં ગુજરાતની અનેક શાળાઓમાં પ્રાર્થનામાં હનુમાન ચાલીસા તેમજ ધર્મનું જ્ઞાન ફ્રી સમયમાં આપવું તથા શિક્ષકોમાં એક તરફી નિર્ણયોના થતા પ્રશ્નો તેમજ હિજાબ પહેરી શિક્ષણ આપવું, અનેક જાતિ જ્ઞાતિ વચ્ચે ભેદભાવ રાખતા શિક્ષકો સામે પગલાં લેવા તેમજ બાળકોને ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તેવા પ્રયત્ન કરવા માટે ગુજરાત બિંદુ સેના ઉપાધ્યક્ષ વિનય શર્મા તેમજ અન્ય જવાબદારો સાથે ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ સાથે વિચાર વિમર્શ કરી ચોક્કસ દિશામાં નિર્ણયો લેવાયા હતા.

ગુજરાતની તમામ શાળાઓમાં હિન્દુ સેના દ્વારા મુલાકાત કરી નાત જાત ભેદભાવ દૂર કરાવી સનાતન ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તેવા અથાગ પ્રયત્નો સાથે શિક્ષણ વિભાગને સાથે રાખી હિન્દુ સેના કાર્ય કરશે. તેમની સાથે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને પણ હિન્દુ સેનામાં જોડી ચોક્કસ દિશા તરફ આગળ કાર્ય વધારશે.

Related posts

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી થયું પ્રારંભ

Ahmedabad Samay

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો