September 21, 2026
અપરાધ

એક બાજુ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ: તો બીજી બાજુ ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે થઈ મોટાપાયે માથાકૂટ

શહેરમાં રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ ઘટવાનું નામ લેતો નથી. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે સાંજે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે માથાકૂટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાર દિવસ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાં જ લાખના બંગલા વાળા વિસ્તારમાં બેકાબૂ બનેલા એક આખલાએ એક યુવતીને હડફેટે લીધી હતી અને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે ઢોર પકડ પાર્ટી દ્વારા ત્રણ દિવસથી આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજના સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગરની શેરીઓમાંથી આખલા પકડવાનું શરૂ કરવામાં આવતા ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે જબ્બરી બબાલ સર્જાય હતી. જો કે, આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. માલધારીઓએ ઢોર પકડવા દીધા ન હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ઢોર પકડવાની કામગીરી વેગવાન બનતાની સાથે જ માથાકૂટ પણ રોજીંદી બની જવા પામી છે. ચોમાસા પહેલા શહેરમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. ભારતીનગરમાં ઢોર ડબ્બાનાં કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. રાત્રે થયેલી આ મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં શેરીમાં બાંધેલી ગાયને પકડવા ગયેલા ઢોર ડબ્બાના કર્મચારીએ ચાલુ બાઈક પર જતા પશુપાલક યુવાન પર દોરડું ફેંકતા તે નીચે રોડ પર પટકાય છે. તેમજ બીજા એક સીસીટીવીમાં પોલીસમેન પશુપાલક સાથે હાથાપાઇ કરતો હોવાનું દેખાય છે. આવા આક્ષેપ પશુપાલકોએ કર્યા છે. પશુપાલકોનો વધુમાં આક્ષેપ છે કે, ઢોર ડબ્બાના કર્મચારીઓ ખોટી રીતે હેરાન-પરેશાન કરી રહ્યા છે. મોડી રાત્રે જ ઢોર પકડ પાર્ટીની ટીમો ગાંધીગ્રામ નજીકનાં ભારતીનગર વિસ્તારમાં પહોંચી હતી અને શેરીમાં બાંધેલી ગાયને પકડવાનો પ્રયાસ કરતા પશુપાલકો દ્વારા વિરોધ કરાયો હતો. પશુપાલકોનાં આ વિરોધને કારણે ઢોર પકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. સ્ટાફની ભૂલ હશે તો પગલા લેવાશે આ મામલે ઢોર પકડ પાર્ટીનાં ઇન્ચાર્જ ઓફિસર અલ્તાફ ડેલાએ જણાવ્યું હતું કે, હજુ સુધી તેમની પાસે આ બનાવ અંગે વિગતો આવી નથી. વિગતો આવ્યા બાદ તેઓ મીડિયા સમક્ષ જાહેર કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે. જો સ્ટાફની ભૂલ હશે તો તેમની સામે પગલાં લેવાશે અને માલધારીની ભૂલ જણાશે તો પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવાની અમારી તૈયારી છે.

Related posts

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

ત્રણ હિન્દુ સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમને હવસનો શિકાર બનાવવા માટે વિધર્મી યુવકો દ્વારા રચાયેલું એક વિચિત્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું

Ahmedabad Samay

કડી તાલુકામાં રાજપુર ગામ પાસે એક રિયલ સિક્યુરિટી ગ્રુપના ડિરેક્ટરની નિર્મમ હત્યા

Ahmedabad Samay

સુરતના ત્રણ યુવકોને પિસ્તોલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી, પોલીસે પકડ્યા બાદ મોટી હકીકત આવી સામે

Ahmedabad Samay

અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો