March 26, 2026
ગુજરાત

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

બ્રિજ બનાવનાર અને કેસના 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

બ્રિજમાં ક્ષતીઓ જણાતા ગાબડાઓ પડી જવા તેમજ બ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, હલકી ગુણવત્તાના મટીરીયલના  ઉપયોગના કારણે થોડા જ સમયમાં બ્રિજ બંધ કરવો પડ્યો છે. કરોડોના ખર્ચ બાદ આ સ્થિતિ નિર્માણ થતા ભ્રષ્ટાચારના આરોપો છે. આ સાથે ફરીયાદ કરવામાં આવતા તાજેતરમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા.

અગાઉ પણ તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મામલે અરજી કરાઈ હતી પરંતુ કેસની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. આરોપીઓના જામીન ફગાવીને આરોપીઓને જેસી એટલે કે, જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાના કારણે અમદાવાદનો આ બ્રિજ અત્યારે નકામો બન્યો છે. ત્યારે આ વિવાદીત બ્રિજ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે.
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના વિવાદના કારણે એજન્સીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

Related posts

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

NSUI ના પૂર્વ મહામંત્રી શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

કોર કમિટીની બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો