June 24, 2026
ગુજરાત

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

બ્રિજ બનાવનાર અને કેસના 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

બ્રિજમાં ક્ષતીઓ જણાતા ગાબડાઓ પડી જવા તેમજ બ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, હલકી ગુણવત્તાના મટીરીયલના  ઉપયોગના કારણે થોડા જ સમયમાં બ્રિજ બંધ કરવો પડ્યો છે. કરોડોના ખર્ચ બાદ આ સ્થિતિ નિર્માણ થતા ભ્રષ્ટાચારના આરોપો છે. આ સાથે ફરીયાદ કરવામાં આવતા તાજેતરમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા.

અગાઉ પણ તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મામલે અરજી કરાઈ હતી પરંતુ કેસની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. આરોપીઓના જામીન ફગાવીને આરોપીઓને જેસી એટલે કે, જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાના કારણે અમદાવાદનો આ બ્રિજ અત્યારે નકામો બન્યો છે. ત્યારે આ વિવાદીત બ્રિજ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે.
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના વિવાદના કારણે એજન્સીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

Related posts

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો