March 18, 2026
રાજકારણ

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા જાહેર કરાયેલ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચિત્રકલા, શિલ્પકલા અને છબિકલા ક્ષેત્રે વિશિષ્ટ અને ગણનાપત્ર યોગદાન પ્રદાન કર્યું હોય, અને ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

જે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના ગૌરવ પુરસ્કાર એનાયત કરવા માટે રાજ્યના ૩૧ કલાકારની પસંદગી કરી તેમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી-અમદાવાદના સચિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યાનુસાર, આગામી તા. ૮મી જૂનના રોજ વિશંકર રાવળ કલા ભવન-અમદાવાદ ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગૌરવ પુરસ્કૃત કલાકારોની કલાકૃત્તિઓના પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ કલાકારોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવાનો સમારોહ ઠાકોરભાઈ દેસાઈ હોલ-અમદાવાદ ખાતે યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌરવ પુરસ્કૃત કલાકારોને રૂ.૫૧,૦૦૦ ના રોકડ પુરસ્કાર, શાલ તથા તામ્રપત્રથી સન્માનિત કરવામાં આવશે.

Related posts

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

ચોમાસુ સત્ર: વિપક્ષે કરી નારેબાજી, હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો