ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે ૯૩ બેઠકો પર ચૂંટણી પડઘમ શાંત થશે. સાંજે ૫ વાગ્યા સુધી પ્રચાર, સભાઓ થઈ શકશે. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગુજરાતમાં બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની કુલ ૯૩ વિધાનસભા બેઠકો માટે ૫ ડિસેમ્બરે મતદાન થશે. સોમવારે સવારે ૫ વાગ્યાથી મતદાન શરૂ થશે, જ્યારે શનિવારે સાંજે પાંચ વાગ્યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
