July 10, 2026
ગુજરાત

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

અમદાવાદમાં આજે વહેલી સવારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જો કે, થોડા દિવસ પહેલા પણ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ચોમાસું તો હજુ શરૂ પણ ન થયું ત્યારે મહાનગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ ન કરાતા આજે સવારે પડેલા વરસાદમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જો કે, વાડીનાથ ચોક ખાતે ચાર દિવસથી ભૂવો પડી જતા માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. આથી ડાઇવર્ઝન આપતા વાહનચાલકોને ફરીને જવી પડે છે. ત્યારે રસ અવર્સમાં ત્યાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી એવો આરોપ લોકો કરી રહ્યા છે. બીજી તરફ મણિનગરમાં આવેલા જવાહર ચોક પાસે પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ સિવાય શહેરના ખોખરા બ્રિજ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ બ્રિજ તોડીને રસ્તો ખુલ્લો કરવાની માગ કરી છે. બીજી તરફ પકવાન ચાર રસ્તા પાસે પણ ડાયવર્ઝનના બેરિકેડ્સ ઉડીને નીચે પડ્યા હતા. સારંગપુરની તળીયાની પોળમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે વિરાટનગરમાં ભૂવો પડતાં લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે

Related posts

આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જાણો ૩૧ તારીખ સુધી ક્યાં ક્યાં થશે અતિભારે વરસાદ

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો