March 21, 2025
ગુજરાત

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

અમદાવાદમાં આજે વહેલી સવારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જો કે, થોડા દિવસ પહેલા પણ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ચોમાસું તો હજુ શરૂ પણ ન થયું ત્યારે મહાનગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ ન કરાતા આજે સવારે પડેલા વરસાદમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જો કે, વાડીનાથ ચોક ખાતે ચાર દિવસથી ભૂવો પડી જતા માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. આથી ડાઇવર્ઝન આપતા વાહનચાલકોને ફરીને જવી પડે છે. ત્યારે રસ અવર્સમાં ત્યાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી એવો આરોપ લોકો કરી રહ્યા છે. બીજી તરફ મણિનગરમાં આવેલા જવાહર ચોક પાસે પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ સિવાય શહેરના ખોખરા બ્રિજ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ બ્રિજ તોડીને રસ્તો ખુલ્લો કરવાની માગ કરી છે. બીજી તરફ પકવાન ચાર રસ્તા પાસે પણ ડાયવર્ઝનના બેરિકેડ્સ ઉડીને નીચે પડ્યા હતા. સારંગપુરની તળીયાની પોળમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે વિરાટનગરમાં ભૂવો પડતાં લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે

Related posts

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો

Ahmedabad Samay

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહિ

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો