June 22, 2026
તાજા સમાચાર

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માટે ખતરો, ભારે પવન અને વરસાદ લાવી શકે છે

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. તેનું કારણ છે ચક્રવાત બિપરજોય, કે જે  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ લાવશે. વાવાઝોડું આગળ વધતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. તેને જોતા માછીમારો અને ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર છે. આગામી 48 કલાક દરમિયાન તે ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આગામી 72 કલાકમાં તે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ચક્રવાત બિપરજોય ગુજરાત માટે ખતરા સમાન છે. સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર નંબર 1 સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જો કે, હવામાન વિભાગે પણ ગુજરાતમાં ચક્રવાત પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયના આગળ વધવાના પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર વન સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત બિપરજોય હાલમાં ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર છે. હવામાન વિભાગે તેની હિલચાલ ઉત્તર તરફની આગાહી કરી છે.

ગુજરાતના હવામાન વિભાગ મુજબ બિપરજોય નામનું આ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર છે. ચક્રવાતની દિશા બદલાય તો તેને ટાળી શકાય છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં દૂર સુધી ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાના અંદાજમાં જણાવ્યું છે કે ગુજરાત પર તોફાનનો ખતરો છે. વર્ષ 2023માં વધુ તોફાનો આવશે. આ વર્ષ તોફાનોથી ભરેલું રહેવાની આગાહી તેમણે નક્ષત્રોને આધારે કરી છે.

Related posts

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Ahmedabad Samay

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્‍યું કે વડા પ્રધાન મોદી તેમના કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે, જાણો ટ્રમ્પ અને મોદીજીના મુલાકાતની મહત્વપુર્ણ વાતો

Ahmedabad Samay

અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓને પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરાઇ

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

મ્યાનમારમાં શુક્રવારે બપોરે 12:50 વાગ્યે  7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે દક્ષિણપૂર્વ એશિયાના વિશાળ વિસ્તારમાં ઇમારતોને હચમચાવી દીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો