August 8, 2026
રાજકારણ

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ કેસની પ્રથમ સુનાવણીમાં કેજરીવાલ અને સંજય સિંહને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, હવે આ કેસની આગામી સુનાવણી 13 જુલાઈએ થશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં રાહત માંગી છે. કોર્ટના સમન્સ પર દિલ્હીના મુખ્યમંત્રી આજે હાજર થવાના હતા. જો કે, અમદાવાદ કોર્ટમાં આગામી સુનાવણી 13મી જુલાઈએ થશે. અરવિંદ કેજરીવાલની સાથે સાંસદ સંજય સિંહ પણ આરોપી છે.

ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટીનું કહેવું છે કે જ્યારે પીએમ મોદીની ડિગ્રી વિવાદ પર ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આવ્યો હતો. તો આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં એવી બાબતો હતી જેણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે. ત્યારે અમદાવાદની કોર્ટે બંને નેતાઓને ગુજરાત યુનિવર્સિટી સામે માનહાનિનો કેસ દાખલ કરવા માટે સમન્સ જારી કર્યા હતા.

આ મામલે આજે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આ મામલે સુનાવણી દરમિયાન જરૂરી ન થાય ત્યાં સુધી હાજર રહેવાથી મુક્તિ માંગી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી વતી તેમના વકીલ હાજર રહેશે. આ સાથે અરવિંદ કેજરીવાલ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો આપવાની માંગ કરવામાં આવી હતી. ગુ

છેલ્લી સુનાવણીમાં એવું બહાર આવ્યું હતું કે આ બંને નેતાઓને સમન્સ મળ્યા નથી. આ પછી કોર્ટે નવેસરથી સમન્સ જારી કર્યા હતા. એરવિંદ કેજરીવાલ તરફથી તેમના વકીલે કોર્ટમાં મુક્તિની અરજી કરી હતી. આ મામલે આગામી સુનાવણી 13 જુલાઈના રોજ થશે.

Related posts

નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024માં શાનદાર જીત હાંસલ કરી

Ahmedabad Samay

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો