March 25, 2025
ગુજરાત

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

નવા વાડજ વિસ્તારમાં વિશાળ કિટલી મુકવામાં આવી છે. PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ આ કિટલી અને તેનું સર્કલ હતું ત્યારે અગાઉ આ કીટલી હટાવી લેવાયા બાદ ફરીથી મુકવામાં આવી છે.

અમદાવાદમાં અખબારનગર સર્કલ હવે કિટલી સર્કલ તરીકે ઓળખાય છે, જો કે, અગાઉ બે વર્ષ પહેલા આ કિટલી અહીંથી હટાવવામાં આવી  હતી પરંતુ હવે ફરીથી મેટ્રોની કામગિરી પૂર્ણ થતા કિટલી સર્કલ ફરીથી શરુ થયું છે અને આ સર્કલની વચ્ચે વિશાળ કિટલી ફરીથી મુકવામાં આવી છે.

ખાસ કરીને આ કિટલી સર્કલ અગાઉ પીએમના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી આ કિટલી પણ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેમ વાડજથી ચાંદલોડીયા અને શાસ્ત્રીનગરથી આરટીઓ જતા સર્કલ પર આ કીટલી મૂકવામાં આવી છે. જે બહારથી આવતા લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, મોટી કિટલી સર્કલની વચ્ચે મુકવામાં આવી છે.

2 વર્ષ અગાઉ મેટ્રોની કામગિરીના કારણે કિટલી અહીંથી લઈ લેવામાં આવી હતી અને હવે પુનઃ આ કીટલી મુકી દેવામાં આવી છે. એએમસી અને સિલ્વઓક કોલેજના ઉપક્રમે આ કિટલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી આ સર્કલ રાબેતા મુજબ શરુ થઈ ગયું છે. જેથી હવે પહેલાની સરખામણીએ ટ્રાફીકની સમસ્યા પણ ઓછી રહે છે.

Related posts

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે:હવામાન વિભાગ

Ahmedabad Samay

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

અમદાવાદઃ આગામી 3થી 4 દિવસમાં આ વિસ્તારમાં માવઠાની આગાહી! જાણો ક્યાં કેવું રહેશે તાપમાન?

admin

એક ટિપ્પણી મૂકો