August 8, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ, વાવાઝોડું 1000 કિમી દૂર, જાણો ગુજરાતમાં કેટલી અસર થશે

બિપોરજોય વાવાઝોડ ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે. કાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જો કે, ગુજરાતમાં વધુ અસર સર્જાય તેવા ઓછા અણસાર છે. તે છતાં તંત્રએ પણ તૈયારીઓ જો વાવાઝોડું ફંટાય તો તેજ કરી છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. જો કે, આ વાવાઝોડું પોરબંદરથી 1000 કિમી જેટલું દૂર છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, બિપોર જોય વાવાઝોડાના કારણે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પલગે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.

ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાય

ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાઈ શકે છે. જો કે, કોસ્ટલ એરીયાની અંદર વરસાદ આવી શકે છે. વાવાઝોડું 12 જૂનથી દેશમાં નબળું થઈ શકે છે. ઓમાન તરફ તેમજ પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે 9 જૂન સુધીમાં હવા 150 કિમી સુધી થવાની શક્યતા છે. 10 જૂન સુધીમાં વાવાઝોડાની સ્પીડ 150થી 170 કિમી સુધી થવાની પણ શક્યતા છે. 11 તારીખે આ વાવાઝોડું વધુ તીવ્રતા પણ બતાવી શકે છે. દેશમાં આ સ્થિતિ જોવા મળશે.

9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે
જો કે, ગુજરાતમાં 9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે. 9થી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં દરિયા કાંઠે અસર પાડી શકે છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ થઈ શકે છે. દરીયાકાંઠે ગુજરાતમાં 60થી 100 કિમી જેટલો ઝડપી પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. પરંતુ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.

Related posts

LIVE બજેટ- શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, ચૂંટણીમાં શિક્ષણ વિપક્ષ માટે મોટો મુદ્દો હતો

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલ 32 રૂપિયા લીટર

Ahmedabad Samay

*‘‘નલસે જલ યોજના” અંતર્ગત ધોરાજીના ઝાંઝમેર ગામે* *૧૨૦૦ જેટલા ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી*

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ આવ્યા ભાનમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો