January 19, 2025
ગુજરાત

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ એરપોર્ટ ખાતે હજયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.  અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા છે.

મુસ્લિમ સમુદાય માટે સૌથી મહત્ત્વની ગણાતી હજ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ એરપોર્ટથી હજ યાત્રા માટે જઈ રહેલા હજ યાત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રીઓને મળવા પહોંચ્યા ત્યારે તેમની સાથે ઓલ ઈન્ડિયા હજ સમિતિના ચેરમેનઅબ્દુલ્લાહ કુટ્ટી, ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન ઇકબાલ સૈયદ તેમજ ગુજરાત રાજ્ય હજ સમિતિ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય હજ સમિતિના સેક્રેટરી શ્રી આઈ.એમ.ધાંચીના જણાવ્યા અનુસાર ૪ જૂનથી પ્રારંભ થયેલી આ હજ યાત્રામાં અત્યાર સુધી ૧૦૦૦થી વધુ હજયાત્રીઓ અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે. આ હજ યાત્રા માટે અંદાજિત ૧૦,૦૦૦થી વધુ હજ યાત્રીઓ અમદાવાદ એરપોર્ટથી આવનારા સમયમાં રવાના થવાના છે.

રાજ્ય સરકાર દ્વારા હજ યાત્રીઓને કોઈ પણ અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે એમ તેમણે વધુમાં કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ હજ યાત્રાને લઈને એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ એન.જી.ઓ સાથે એરપોર્ટ ઓથોરિટી પણ વ્યવસ્થામાં જોડાઈ છે.

Related posts

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

અમદાવાદ – સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4,500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો