May 12, 2026
રાજકારણ

દ્વારકાની કમાન ગૃહ મંત્રીએ સંભાળી, વાવાઝોડાના કારણે નિચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા, દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય

દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય વાવાઝોડું છે ત્યારે એ પહેલા જ 1,100 પરીવારોને નીચાણવાળા વિસ્તારમાંથી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. 138 સગર્ભા બહેનોનું લિસ્ટ તૈયાર કરીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

દેવભૂમી દ્વારકામાં ગઈકાલથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી ગયા છે. તમામ પ્રકારની તૈયારીઓ વાવાઝોડાના ખતરા સામે થઈ શકે તે હેતુથી તેમને તંત્રને કેટલાક જરુરી સૂચનો આપ્યા છે. આ સાથે દ્વારકા કાંઠાના નીચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા છે.
 
હર્ષ સંઘવીએ કહી આ વાત 
હાલ જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેને લઈને તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.  મોડી રાત્રે ગૃહ મંત્રી દ્વારકા પહોંચ્યા હતા અને તેમને કમાન્ડ સંભાળી છે. આ દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દરિયાકિનારેથી જીરોથી 5 કિમી સુધીના 38 ગામડાઓ તેમજ 5 કિમીથી 10 કિમી સુધીના 44 ગામડાઓ, જ્યાં જિલ્લામાં ક્યાંકને ક્યાંક સાવધાની રાખવા જેવા ગામડાઓ છે. જ્યાં નિચાણવાળા વિસ્તારમાંથી 4,100 પરીવારમાંથી 1100 પરીવારનું સ્થળાંતરણ કરી લેવામાં આવ્યું છે.

138 બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા 
સૌ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. સાંજે 7 વાગ્યા સુધી બધા જ ફિલ્ડમાં હતા એ પહેલા કામગિરી કોને શું કરવી તે નક્કી કરી લેવામાં આવી છે. આફતમાં અનેક એવા પ્રશ્નો હોય છે જેના પર ધ્યાન આપવું પડે છે. સગર્ભા બહેનોની યાદી તૈયાર કરીને તમામ બહેનોને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લઈ જઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય એ સહીતનું તમામ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. 138 બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે.

ઝડપથી પવન ફૂંકાવાનો હોય ત્યારે ઈલેક્ટ્રિકના થાંભલાઓ, ઝાડ પડી શકે છે. કામ કરવા માટેની ટીમ, તેમજ કયા રુટ પર કોણ અધિકારી હાજર રહેશે તે પણ તૈયારી કરાઈ છે. સામાન્ય નાગરિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરે અને ન વાત કરી શકે તે માટે દુવિધામાં રહેતી હોય છે. જેથી ડિસ્ટ્રીક્ટ કલેક્ટર સુધી તમામ જાણકારી પહોંચે તેની વ્યવસ્થા કરાઈ છે. દ્વારકાના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે કામગિરી થશે.

16 તારીખ સુધી દ્વારકામાં પ્રવાસ કરવાનું ટાળજો – ગૃહ મંત્રી 
ફિલ્ડમાં રહીને કામગિરી કરીશું. વીડિયોના માધ્યમથી ચર્ચા કરીશું.  ફિલ્ડ પર સેવામાં સામાજિક સંસ્થા કે, ભાજપની ટીમ વગેરેને સાથે રાખીને કામગિરી કરી તકલીફો સામે કામગિરી કરીશું. સસ્તા અનાજની દુકાનો પર લોકોને તકલીફ ના પડે તે માટે પોલીસને કેટલીક સૂચનાઓ આપી છે. નાગરીકોના સહયોગની જરુર તમામ વ્યવસ્થામાં છે. 16 તારીખ સુધી દ્વારકા ખાતે પ્રવાસ કરવાનું ટાળજો. શિવરાજપુર બ્રિજ બંધ છે. વહીવહટી તંત્ર દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે તેનું પાલન ચોક્કસથી લોકો કરે તેવી મારી વિનંતી છે.

Related posts

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay

દાદરા અને નગર હવેલી પંચાયતે “નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર- શ્રેષ્ઠ જિલ્લા પંચાયત” શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

Ahmedabad Samay

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

સર્કિટ હાઉસ ખાતે NCP પક્ષના હોદેદારો અને કાર્યકર્તા ની પ્રદેશ અને શહેર કારોબારી અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય.મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા

Ahmedabad Samay

પીએમ નરેન્દ્ર મોદી ચાઇના દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી અને કબજાના કૃત્‍યોની સાર્વજનિક રીતે નિંદા કેમ નથી કરતા ? : કપિલ સિબ્બલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો