February 10, 2025
અપરાધરાજકારણ

આમ આદમી પાર્ટી ઉપર અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો

New up 01

“ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામમાં આપ નેતા ઈસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણ રામના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો,ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

 

ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જોયા છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિજયભાઈ આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આજે માંડ માંડ જીવ બચાવ્યો છે અને મહેશભાઇ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો છે.”

આ હુમલો આમ આદમી પાર્ટી ઉપર નહીં પરંતુ ગુજરાતની જનતા ઉપર છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે જનતા તેનો જવાબ દેશે હજુ તો ચૂંટણી આવી નથી ત્યાં જ ભાજપ દ્વારા આવી હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતના લોકો ચલાવી નહીં લે.

Related posts

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

કેટલી હદે વિકૃત.! બોટાદમાં ૮૧ વર્ષીય રેપ, બાદમાં ગળેફાંસો આપી મર્ડર, ફરિયાદ દાખલ વૃદ્ધા સાથે

Ahmedabad Samay

૮૩ વર્ષના થાય ત્યાં સુધી પુતિન રાજગાદી પર બેસશે, પુતિને રશિયાનું બંધારણ બદલ્યું

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

જનરલ વીકે સિંહે પીઓકેને લઈને મોટો દાવો કર્યો છે. જનરલ વીકે સિંહે કહ્યું કે જરા રાહ જુઓ,POK પોતાની મેળે ભારત આવશે

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો