March 23, 2026
અપરાધરાજકારણ

આમ આદમી પાર્ટી ઉપર અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો

New up 01

“ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામમાં આપ નેતા ઈસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણ રામના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો,ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

 

ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જોયા છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિજયભાઈ આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આજે માંડ માંડ જીવ બચાવ્યો છે અને મહેશભાઇ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો છે.”

આ હુમલો આમ આદમી પાર્ટી ઉપર નહીં પરંતુ ગુજરાતની જનતા ઉપર છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે જનતા તેનો જવાબ દેશે હજુ તો ચૂંટણી આવી નથી ત્યાં જ ભાજપ દ્વારા આવી હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતના લોકો ચલાવી નહીં લે.

Related posts

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાઈ  

Ahmedabad Samay

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો