August 6, 2026
ગુજરાત

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આપણી પાસે ભારતમાં ઘણા પ્રકારના વીમા છે અને પોલિસી ધારકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. પોલિસી ધારકો રજિસ્ટર્ડ પોલિસી માટે દાવા રજૂઆત કરતી વખતે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા વીમા લોકપાલની કચેરી (ઑફિસ ઑફ ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન)ના પ્રતિનિધિઓ દ્રારા “વીમા ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સી. વિકાસ રાવ, માનનીય વીમા લોકપાલ અને શ્રી હસમુખ એસ. ગોહિલ, સચિવ, વીમા લોકપાલની કચેરી, અમદાવાદએ જણાવ્યું હતું કે વીમા લોકપાલની કચેરીઓ કાઉન્સિલ ફોર ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન (CIO) ના વહીવટી નિયંત્રણ હેઠળ છે, જેની રચના વીમા લોકપાલ નિયમો, 2017 હેઠળ કરવામાં આવી છે. વીમા લોકપાલની કચેરી એ વૈકલ્પિક ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ છે જેની સ્થાપના વીમા કંપનીઓ અને તેના મધ્યસ્થીઓ અથવા વીમા બ્રોકર્સ સામે પીડિત પોલિસીધારકોની ફરિયાદોને ઝડપી અને ખર્ચ-અસરકારક રીતે ઉકેલવાનો હેતુ સાથે કરવામાં આવી છે. આ ચર્ચામાં વીમા લોકપાલ દ્રારા આપણી ફરિયાદ જમા કરતા પહેલા શું કરવાની જરૂર છે તે અંગેની વિગતો, વીમા લોકપાલ સમક્ષ ફરિયાદો માટેના આધારો; ફરિયાદો માટેની પ્રક્રિયા; વીમા લોકપાલ નિયમ હેઠળ પુરસ્કાર વગેરેને આવરી લેવામાં આવ્યા હતાં.

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો