March 7, 2026
રાજકારણ

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે ૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

રાજકોટના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાની છે. ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને કુલ ૨ હજાર કરોડથી પણ વધુનાં વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. રંગીલુ રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આગમનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે

એને વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે તેની દેખ રેખ રાખી રહ્યા છે. ૨૭મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના કામોનું લોકાર્પણ કરી રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિશાળ જનસંબોધન લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને પણ સંબોધન કરનાર છે.

બપોર બાદ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના હોય ત્યારબાદ હિરાસર એરપોર્ટથી વડાપ્રધાન મોદીનો કાફલો હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટમાં આવી પહોંચશે.

Related posts

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

Ahmedabad Samay

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

RSSની વાર્ષિક બેઠકમાં આગામી વર્ષ માટે બનાવાશે રણનીતિ, જાણો અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું મહત્ત્વ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો