June 22, 2026
રાજકારણ

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે ૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

રાજકોટના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાની છે. ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને કુલ ૨ હજાર કરોડથી પણ વધુનાં વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. રંગીલુ રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આગમનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે

એને વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે તેની દેખ રેખ રાખી રહ્યા છે. ૨૭મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના કામોનું લોકાર્પણ કરી રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિશાળ જનસંબોધન લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને પણ સંબોધન કરનાર છે.

બપોર બાદ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના હોય ત્યારબાદ હિરાસર એરપોર્ટથી વડાપ્રધાન મોદીનો કાફલો હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટમાં આવી પહોંચશે.

Related posts

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો