March 25, 2025
રાજકારણ

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે ૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

રાજકોટના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાની છે. ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને કુલ ૨ હજાર કરોડથી પણ વધુનાં વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. રંગીલુ રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આગમનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે

એને વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે તેની દેખ રેખ રાખી રહ્યા છે. ૨૭મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના કામોનું લોકાર્પણ કરી રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિશાળ જનસંબોધન લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને પણ સંબોધન કરનાર છે.

બપોર બાદ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના હોય ત્યારબાદ હિરાસર એરપોર્ટથી વડાપ્રધાન મોદીનો કાફલો હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટમાં આવી પહોંચશે.

Related posts

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો પર ભાજપના 11 અને કોંગ્રેસના 1 મળી કુલ 12 સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવશે

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો