March 29, 2026
અપરાધગુજરાત

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 જેટલા યુવકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર અને પોલીસ તંત્રે પણ જાહેર માર્ગ પર બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા લોકો સામે લાલ આંખ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હવે એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે.

ઓવર સ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, નિયમ ઉલ્લંઘન સામે કાર્યવાહી 

અમદાવાદમાં થયેલા અકસ્માતને પગલે હવે ગુજરાત સરકારે રાજ્યભરમાં તમામ શહેર અને જિલ્લાઓમાં બેદરકારીપૂર્વક અને ઓવર સ્પીડથી વાહન ચલાવતા ચાલકો અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. જે હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત રાજ્યભરમાં એક મહિના સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. જે હેઠળ ઓવર સ્પીડ અને સ્ટંટબાજોને પકડવા માટે પોલીસ સજ્જ રહેશે. ઉપરાંત, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે. માહિતી મુજબ, છેલ્લા બે દિવસ દરમિયાન ઓવર સ્પીડના 87 જેટલા કેસ નોંધાયા છે.

સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

માહિતી મુજબ, DGP દ્વારા દરેક જિલ્લાના અધિકારીઓને આ આદેશ કરવામાં આવ્યો છે. જે હેઠળ હવે પોલીસ અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા મોડી રાત સુધી કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્ટંટ કરતા બાળકોના માતા-પિતા પણ એટલા જ જવાબદાર છે, આથી કોઈ પણ પ્રકારની ભલામણો કે છૂટ આપવામાં નહીં આવે અને જાહેર માર્ગો પર વાહનો થકી સ્ટંટ કરતા બાળકોના માતા-પિતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે સુરતના રાંદેર વિસ્તારમાં ગઈકાલે જાહેર માર્ગ પર સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ થતા તેની પોલીસે ધરપકડ કરી હતી સાથે તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

Related posts

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

અમદાવાદ – કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં ફરી વાગશે જાહેર સાયરન ,આજે આપાતકાલિન સાયરન સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો