June 22, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના ને સાર્થક કરવા તેમજ સમાજ માં સકારાત્મક જાગૃતિ લાવવા અને વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation, ” પૈતૃક જુદાઈ ” રોકવા – સામાજિક જાગૃતિ લાવવા નો કાર્યક્રમ સમાનતા ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

“પેરેન્ટ્સ ડે” નિમિત્તે  દરેક માતા-પિતા ના નિ:સ્વાર્થ ત્યાગ-બલિદાન-પ્રેમ ભાવના ને બિરદાવવામાં આવ્યો અને સાથે સાથે આજે સેંકડો પેરેન્ટ્સ (નેચરલ ગાર્ડિઅન) ને “પેરેન્ટલ એલીનેશન (પૈતૃક જુદાઈ)”ના કારણે પોતાના બાળકોના પ્રેમથી વંચિત રખાય છે, તે આજના આધુનિક યુગની અતિ ગંભીર સમસ્યા-કડવી વાસ્તવિકતા તરફે પેરેન્ટ્સ ડે ‘સાયકલ રેલી’ યોજી જન-જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આથી અમે ‘પેરેન્ટલ એલીનેશન’ ને રોકવા અને સમાજ માં આ ” બાળ ઉત્પીડન ” ના મુદ્દે સકારાત્મક જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર ‘સાયકલ રેલી’નું આયોજન રાખેલ.

આ કાર્યક્રમમાં કાયદાના દુરુપયોગ સંદર્ભિત, પેરેન્ટલ એલીનેશન, Shared Parenting ની માહિતી, NCRB ના સ્યુસાઇડ ડેટા વગેરે માહિતી ના ફ્લેક્ષ બેનર્સ-પ્લે કાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે, પેરેન્ટ્સ ડે ને લગતા નારાઓ લગાવીને જન-જાગૃતિ કાર્યક્રમ યોજ્યો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના વોલન્ટિયર્સ સાયકલ અને ટુ-વહીલર્સ સાથે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરવા અને Cycle Rally ની શરૂઆત (Flag Off) કરાવવા માટે.. ગાંધીનગર-Ward no.9 ના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન. એસ. ત્રિવેદી અને બ્રહ્મ અગ્રણી શ્રી સુનિલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/3ouZvTLApNk

Related posts

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નાટ્યપ્રયોગ અને પદ્મશ્રી અરવિંદ વૈદ્ય સન્માન સમારોહ સંપન્ન

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે કરી

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય: બિજલ પટેલ

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો