June 22, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના ને સાર્થક કરવા તેમજ સમાજ માં સકારાત્મક જાગૃતિ લાવવા અને વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation, ” પૈતૃક જુદાઈ ” રોકવા – સામાજિક જાગૃતિ લાવવા નો કાર્યક્રમ સમાનતા ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

“પેરેન્ટ્સ ડે” નિમિત્તે  દરેક માતા-પિતા ના નિ:સ્વાર્થ ત્યાગ-બલિદાન-પ્રેમ ભાવના ને બિરદાવવામાં આવ્યો અને સાથે સાથે આજે સેંકડો પેરેન્ટ્સ (નેચરલ ગાર્ડિઅન) ને “પેરેન્ટલ એલીનેશન (પૈતૃક જુદાઈ)”ના કારણે પોતાના બાળકોના પ્રેમથી વંચિત રખાય છે, તે આજના આધુનિક યુગની અતિ ગંભીર સમસ્યા-કડવી વાસ્તવિકતા તરફે પેરેન્ટ્સ ડે ‘સાયકલ રેલી’ યોજી જન-જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આથી અમે ‘પેરેન્ટલ એલીનેશન’ ને રોકવા અને સમાજ માં આ ” બાળ ઉત્પીડન ” ના મુદ્દે સકારાત્મક જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર ‘સાયકલ રેલી’નું આયોજન રાખેલ.

આ કાર્યક્રમમાં કાયદાના દુરુપયોગ સંદર્ભિત, પેરેન્ટલ એલીનેશન, Shared Parenting ની માહિતી, NCRB ના સ્યુસાઇડ ડેટા વગેરે માહિતી ના ફ્લેક્ષ બેનર્સ-પ્લે કાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે, પેરેન્ટ્સ ડે ને લગતા નારાઓ લગાવીને જન-જાગૃતિ કાર્યક્રમ યોજ્યો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના વોલન્ટિયર્સ સાયકલ અને ટુ-વહીલર્સ સાથે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરવા અને Cycle Rally ની શરૂઆત (Flag Off) કરાવવા માટે.. ગાંધીનગર-Ward no.9 ના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન. એસ. ત્રિવેદી અને બ્રહ્મ અગ્રણી શ્રી સુનિલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/3ouZvTLApNk

Related posts

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો