March 23, 2026
ગુજરાતરાજકારણ

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

અખંડ ભારતના શિલ્‍પી અને લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ ખાતે સામાજિક એકતા સંમેલન અને સેવાકાર્યોમાં વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના ભાજપના ધારાસભ્‍ય હાર્દિકભાઈ પટેલે હાજરી આપી તથા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને સંબોધન કર્યું હતું.

ગામની ત્રણ વિધવા બહેનને સિલાઈ મશીન, પાંચ દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને ત્રણ પૈડાં વાળી સાયકલ તથા કુપોષિત બાળકોને પોષિત કીટ વિતરણ કરવામાં આવી હતી.સામાજિક સંમેલનના માધ્‍યમથી દરેક ગામડાઓમાં એકતાના સૂત્રમાં લોકોને એકજુટ કરીને ગામના વિકાસને મહત્‍વમાં આપવામાં આવશે.

આ તકે વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના ભાજપના ધારાસભ્‍ય હાર્દિકભાઈ પટેલે સંકલ્‍પ કર્યો છે કે નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.ᅠ

Related posts

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

Ahmedabad Samay

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો