August 6, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના ને સાર્થક કરવા તેમજ સમાજ માં સકારાત્મક જાગૃતિ લાવવા અને વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation, ” પૈતૃક જુદાઈ ” રોકવા – સામાજિક જાગૃતિ લાવવા નો કાર્યક્રમ સમાનતા ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

“પેરેન્ટ્સ ડે” નિમિત્તે  દરેક માતા-પિતા ના નિ:સ્વાર્થ ત્યાગ-બલિદાન-પ્રેમ ભાવના ને બિરદાવવામાં આવ્યો અને સાથે સાથે આજે સેંકડો પેરેન્ટ્સ (નેચરલ ગાર્ડિઅન) ને “પેરેન્ટલ એલીનેશન (પૈતૃક જુદાઈ)”ના કારણે પોતાના બાળકોના પ્રેમથી વંચિત રખાય છે, તે આજના આધુનિક યુગની અતિ ગંભીર સમસ્યા-કડવી વાસ્તવિકતા તરફે પેરેન્ટ્સ ડે ‘સાયકલ રેલી’ યોજી જન-જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આથી અમે ‘પેરેન્ટલ એલીનેશન’ ને રોકવા અને સમાજ માં આ ” બાળ ઉત્પીડન ” ના મુદ્દે સકારાત્મક જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર ‘સાયકલ રેલી’નું આયોજન રાખેલ.

આ કાર્યક્રમમાં કાયદાના દુરુપયોગ સંદર્ભિત, પેરેન્ટલ એલીનેશન, Shared Parenting ની માહિતી, NCRB ના સ્યુસાઇડ ડેટા વગેરે માહિતી ના ફ્લેક્ષ બેનર્સ-પ્લે કાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે, પેરેન્ટ્સ ડે ને લગતા નારાઓ લગાવીને જન-જાગૃતિ કાર્યક્રમ યોજ્યો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના વોલન્ટિયર્સ સાયકલ અને ટુ-વહીલર્સ સાથે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરવા અને Cycle Rally ની શરૂઆત (Flag Off) કરાવવા માટે.. ગાંધીનગર-Ward no.9 ના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન. એસ. ત્રિવેદી અને બ્રહ્મ અગ્રણી શ્રી સુનિલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/3ouZvTLApNk

Related posts

નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો,ચુકાદો સાંભળતાજ “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યું કોર્ટ પરિસર

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો