June 25, 2026
ગુજરાત

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

એક જ દિવસમાં સિવિલમાં 298 કેસ નોંધાયા છે જ્યારે શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર અંદાજે 1600 કેસો નોંધાઈ રહ્યા છે.

કોર્પોરેશનના એક જ અર્બન હેલ્થ સેન્ટર પર 20 દર્દીઓ આવે છે. એટલે કે શહેરમાં 82 અર્બન હેલ્થ સેન્ટર છે જેથી રોજના 1600 આંખના દર્દીઓ આવે છે. જેથી આઈ ડ્રોપ ખૂટી પડ્યા છે. શહેરમાં 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે ત્યારે વધુ 50 હજાર આઈડ્રોપની માગ કરવામાં આવી છે.

આરોગ્ય સમિતિએ શહેરમાં મેલેરિયા અને પાણીજન્ય રોગચાળાની પણ સમીક્ષા કરી હતી. જેમાં પાણીજન્ય રોગચાળા અંગે સંબંધિત વિભાગને પ્રદુષિત પાણી ક્યાં આવે છે તે અંગે જણાવવામાં આવ્યું હતું અને તેના યોગ્ય નિકાલ માટે સૂચનાઓ આપવા જણાવ્યું હતું. રોગચાળાને બદલે સ્વચ્છતાના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આંખ આવવાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં એક દિવસમાં 298 દર્દીઓ નોંધાયા હતા. આગળના દિવસે 263 દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ શહેરમાં ખાનગી દવાખાનામાં પણ આંખ આવતા સારવાર લેવા માટે મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાઈ રહ્યા છે જેથી આ આંકડો ડબલથી પણ વધી જાય છે. જેથી અંદાજ મુજબ દરરોજના 2000થી વધુ કેસો આંખ આવવાના અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.

Related posts

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો