August 9, 2026
ગુજરાત

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

એક જ દિવસમાં સિવિલમાં 298 કેસ નોંધાયા છે જ્યારે શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર અંદાજે 1600 કેસો નોંધાઈ રહ્યા છે.

કોર્પોરેશનના એક જ અર્બન હેલ્થ સેન્ટર પર 20 દર્દીઓ આવે છે. એટલે કે શહેરમાં 82 અર્બન હેલ્થ સેન્ટર છે જેથી રોજના 1600 આંખના દર્દીઓ આવે છે. જેથી આઈ ડ્રોપ ખૂટી પડ્યા છે. શહેરમાં 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે ત્યારે વધુ 50 હજાર આઈડ્રોપની માગ કરવામાં આવી છે.

આરોગ્ય સમિતિએ શહેરમાં મેલેરિયા અને પાણીજન્ય રોગચાળાની પણ સમીક્ષા કરી હતી. જેમાં પાણીજન્ય રોગચાળા અંગે સંબંધિત વિભાગને પ્રદુષિત પાણી ક્યાં આવે છે તે અંગે જણાવવામાં આવ્યું હતું અને તેના યોગ્ય નિકાલ માટે સૂચનાઓ આપવા જણાવ્યું હતું. રોગચાળાને બદલે સ્વચ્છતાના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આંખ આવવાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં એક દિવસમાં 298 દર્દીઓ નોંધાયા હતા. આગળના દિવસે 263 દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ શહેરમાં ખાનગી દવાખાનામાં પણ આંખ આવતા સારવાર લેવા માટે મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાઈ રહ્યા છે જેથી આ આંકડો ડબલથી પણ વધી જાય છે. જેથી અંદાજ મુજબ દરરોજના 2000થી વધુ કેસો આંખ આવવાના અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.

Related posts

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ન જોવા લોકોને ધમકી, ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો મેસેજ ફરતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો