February 6, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે ધીમીધારે અને રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. વિભાગે કહ્યું કે, હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા

હવામાન વિભાગની આગાહી મુજબ, 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં આજે હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે સાબરમતી નદીમાં 5300 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 85 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

સરદાર સરોવર ડેમમાં 72.84 ટકા પાણીનો જથ્થો

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વિભાગે શક્યતા વ્યક્ત કરી કે દરિયામાં કરંટના કારણે પવન પણ ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યાનુસાર, સરદાર સરોવર ડેમમાં 72.84 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 46 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. ધોરાઈ ડેમ અને સંતરોવરમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે.

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો