March 26, 2026
ગુજરાત

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં 2002ના રમખાણોના સંબંધમાં લોકોને ફસાવવાના ઈરાદા સાથે પુરાવાના કથિત બનાવટના કેસમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આરબી શ્રીકુમારને નિયમિત જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં કાર્યકર તિસ્તા સેતલવાડને જામીન આપ્યાના લગભગ બે અઠવાડિયા પછી હાઈકોર્ટે શ્રીકુમારને આ રાહત આપી. પહેલાથી જ વચગાળાના જામીન પર જેલની બહાર જસ્ટિસ ઇલેશ વોરાની કોર્ટે શ્રીકુમારને રૂ. 25,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. નિયમિત જામીન પર સુનાવણી પહેલા થોડા સમય માટે વચગાળાના જામીન આપવામાં આવે છે.

અગાઉ, હાઈકોર્ટે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 468 (છેતરપિંડી) અને કલમ 194 (મૃત્યુની સજાપાત્ર ગુનામાં વ્યક્તિને દોષિત ઠેરવવાના ઈરાદાથી ખોટા પુરાવા આપવા અથવા બનાવવા)ને સમર્થન આપ્યું હતું, જે હેઠળ નોંધાયેલા કેસના ત્રણ આરોપીઓ પૈકીના એક તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવવામાં આવી હતી. જો કે, સેતલવાડને 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન આપ્યા હતા.

સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો નથી

હાઈકોર્ટે શ્રીકુમારને જામીન આપતાં અવલોકન કર્યું કે, આખો કેસ દસ્તાવેજી પુરાવા પર આધારિત છે, જે હાલમાં તપાસ એજન્સી પાસે છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે અરજદારની ઉંમર 75 વર્ષ છે અને તે વય સંબંધિત બિમારીઓથી પીડિત છે અને તેના વચગાળાના જામીન દરમિયાન તેને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હોવાની કોઈ માહિતી નથી.

રાજ્ય સરકારનો વિરોધ

રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, કથિત ગુનો ખૂબ જ “જઘન્ય” હતો અને પ્રથમ દૃષ્ટિએ તેની સામે કેસ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જૂન, 2022માં ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધા પછી શ્રીકુમાર, સેતલવાડ અને ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ઝાકિયાના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી 2002ના રમખાણોમાં માર્યા ગયા હતા.

Related posts

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

રઘુનાથદાસજી શૈક્ષણિક સંકુલ અને જોય ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત મળી મતદાન જાગૃતિ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો