May 19, 2026
ગુજરાત

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જેમાં એક હાલ અમદાવાદ ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. માત્ર 27 વર્ષની નાની વયે તેમણે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપી દીદ્યો છે. તેમની શહીદીથી આખા દેશમાં ગમગીની છવાઈ છે.

મહિના પહેલા જ પત્નીનું શ્રીમંત યોજાયું હતું

મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાની શહીદીના સમાચાર સાંભળીને તેમના પરિવારજનોની આંખોમાંથી આસૂ રોકાવવાના નામ નથી લઈ રહ્યા. માહિતી છે કે, દેશની રક્ષા માટે શહીદ થનારા વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાની પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ, સંતાનનું મોઢું જોયા પહેલા જ મહિપાલસિંહ વીરગતિ પામ્યા છે.

ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર

માહિતી મુજબ, આજે રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ વીર જવાન મહિપાલસિંહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિરાટનગર ખાતે શહીદ મહિપાલસિંહની અંતિમયાત્રા નીકળશે અને પછી લીલાનગર સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ધરતીપુત્રના અંતિમ દર્શન કરવા અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી શક્યતા છે. માહિતી અનુસાર, ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રવિવારે સાંજે વિરાટનગર જશે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ

Ahmedabad Samay

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો