January 19, 2025
ગુજરાત

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. ધરા ધ્રૂજી જતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઊંઘમાંથી ઊઠીને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિના કે પછી મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.6ની નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિન્દુ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધુ આવે છે ભૂકંપ

ઉલ્લેખનીય છે કે ગુજરાતના બે જિલ્લામાં છાશવારે ભૂકંપના આંચકા લોકો અનુભવતા હોય છે. રાજ્યના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં લોકો અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા હોય છે. પરંતુ આ વખતે વહેલી સવારે 4.36 વાગ્યે ભૂકંપ આવતા લોકો ભરઊંઘમાંથી એકાએક ઊઠીને ઘરની બહાર દોડ્યા હતા. વહેલી સવારે ભૂકંપ આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, હાલ કોઈ જાનહાનિ કે પછી મોટા આર્થિક નુકસાનની માહિતી મળી નથી.

Related posts

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

કરણી સેના રાજ શેખાવતે ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો, જે એન્કાઉન્ટર કરશે તેને ૧ કરોડ આપવાની જાહેરાત કરી

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો