August 8, 2026
ગુજરાત

અમદાવાદ – માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા, પોલીસે તેજ કરી તપાસ

અમદાવાદના પૂર્વ વિસ્તાર એક યુવકની મોડી રાત્રે હત્યા થયાનો બનાવ બન્યો છે. હત્યા કર્યા બાદ કેટલાક શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે તપાસ તેજ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ચોરી, લૂંટ સહીતના ઘટના ઉપરાંત હત્યાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના પૂર્વ વિસ્તારમાં માધુપુરા વિસ્તારમાં બની હતી. મોડી રાત્રે આ હત્યાના ઘટના બનતા આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો. મોડી રાત્રે હત્યાના બનાવથી અમદાવાદનો માધુપુરા વિસ્તાર હચમચી ગયો છે.  પ્રાપ્ત વિગતો અનુસાર કુણાલ ઠાકોર નામના યુવાનની હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.

આ હત્યાના કેસ મામલે તપાસ તેજ કરવામાં આવી રહી છે.  હત્યાથી ફરી એકવાર અમદાવાદ શહેરમાં ગુનેગારો જાણે બેમાફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. હત્યા કરીને કેટલાક શખ્સો ફરાર થઈ જતા આ મામલે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ યુવકની હત્યાના કારણે પરીવાર શોકમાં છે. પરીવાર તટસ્થ અને કડક સજાની માગ કરી રહ્યો છે.

Related posts

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

Ahmedabad Samay

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો