March 25, 2026
ગુજરાત

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

બર્થ સર્ટિફિકેટમાં પિતાનું નામ ખાલી ન રાખવાની માગણી પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટો ફટકો પડ્યો છે. તેના એક ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને સિંગલ મધરની માંગ મુજબ જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા જણાવ્યું. 2019 માં તેના પતિથી અલગ થયેલી એક મહિલાએ તેના જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામનો ઉલ્લેખ ન કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કાનૂની લડાઈ જીતી લીધી છે. મહિલાએ જન્મ પછી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પિતાનું નામ ન જણાવવા ગ્રાન્ડ ફાધરનું નામ લખવામાં આવ્યું હતું. જેની સામે મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહિલાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજદારની માંગણી મુજબ જન્મ પ્રમાણપત્રમાં બદલાવ કરવાનો આદેશ આપ્યો છે.

શા માટે શરૂ થઈ કાનૂની લડાઈ?

અમદાવાદમાં રહેતી એક મહિલાના લગ્ન 2013માં થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી જ્યારે મહિલાનું લગ્નજીવન બગડવા લાગ્યું. તો મહિલાએ છૂટાછેડા લઈ લીધા છે. મહિલાએ ફેબ્રુઆરી 2019માં કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ મહિલાએ સપ્ટેમ્બર 2019માં એક બાળકીને જન્મ આપ્યો હતો. જેમાં મહિલાએ બાળકના જૈવિક પિતાનું નામ જણાવવાનો ઈન્કાર કરી દીધો છે. મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પિતાનું નામ ખાલી રાખવા વિનંતી કરી હતી, પરંતુ કોર્પોરેશને તેમ ન કરતાં મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પિતાનું નામ ખાલી ન રાખનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે ફરી પિતાની કોલમ ખાલી રાખીને મહિલાને પ્રમાણપત્ર આપવું પડશે. ગુજરાત હાઈકોર્ટે સિંગલ મધરની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

જૂના નિયમોથી બનાવવામાં આવે છે પ્રમાણપત્ર

હાલમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા જન્મ પ્રમાણપત્રોમાં પિતાના નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આવો જ એક કેસ જુલાઈ 2021માં કેરળ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સિંગલ મધરે પિતાના નામની કોલમ ખાલી રાખવા વિનંતી કરી હતી. જેમાં મહિલાએ કેરળ રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ રૂલ્સ, 1999ને પડકાર્યો હતો.

Related posts

નરહરિ અમીન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

CM રૂપાણીએ આંશિક લોકડાઉને લઇ આપ્યા રાહતના સમાચાર

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો