February 6, 2026
દુનિયા

ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી આવવા માંગતા મહેમાનો અટવાયા

બે દેશો વચ્‍ચે જ્‍યારે કોઈ વિવાદ થાય અને સંબંધો બગડે ત્‍યારે તેની કેટલી વ્‍યાપક અસર પડતી હોય છે તે તાજેતરના ભારત-કેનેડા વિવાદમાં જોવા મળ્‍યું છે. બંને દેશોએ એક બીજાના ડિપ્‍લોમેટની છટણી કરી અને હવે વિઝા પર નિયંત્રણ મુકયા છે. તેના કારણે ભારતીય સ્‍ટુડન્‍ટ્‍સ, વેપારીઓ, કંપનીઓ, પ્રવાસીઓ અને પરિવારો પણ પરેશાન છે.

ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી મહેમાનો આવવાના હોય અથવા કોઈ ભારત ફરવા આવવાનું હોય તેમની તકલીફો વધી ગઈ છે. હાલમાં વિઝા કન્‍સલ્‍ટન્‍ટ્‍સના ફોન આખો દિવસ રણકતા હોય છે અને અત્‍યારની સ્‍થિતિમાં હવે શું થશે તેના વિશે લોકો સવાલો કરતા હોય છે.

 

છેલ્લા કેટલાક સમયથી ભારતથી કેનેડા જતા લોકોની સંખ્‍યામાં મોટો વધારો આવ્‍યો હતો જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. એર કેનેડાની ડાયરેક્‍ટ ફ્‌લાઈટ હંમેશા બૂક થયેલી જોવા મળતી હતી. કેનેડામાં હાલમાં જે ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ ભણે છે તેમાં ૪૦ ટકા જેટલા ભારતીયો છે. પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્સ માટે કેનેડાને ફેવરિટ ગણવામાં આવે છે. હાલમાં લગભગ ત્રણ લાખ ભારતીયો સ્‍ટુડન્‍ટ વિઝા પર કેનેડામાં વસે છે.

જે ભારતીય સ્‍ટુડન્‍ટ પહેલેથી કેનેડામાં ભણી રહ્યા છે તેમને પણ લાગે છે કે કંઈક ખોટું થવાનું છે. ઓન્‍ટારિયોની એક કોલેજમાં એક મહિનો પૂરો કરનારા એક સ્‍ટુડન્‍ટે કહ્યું કે અમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ ચિંતિત છે. અમે બધા અત્‍યારે અફવાઓથી દૂર રહેવાનું વિચારીએ છીએ. કેનેડિયન કોલેજ અથવા ભારતીય દૂતાવાસ તરફથી કોઈ સૂચના નથી આવી.

કેનેડાને ભારતીયો માત્ર એજ્‍યુકેશન માટે જ નહીં, પરંતુ કાયમી વસવાટ માટે પણ પસંદ કરે છે. એક્‍સપ્રેસ એન્‍ટ્રી પોઈન્‍ટ બેઝ્‍ડ સિસ્‍ટમની મદદથી ઘણા ભારતીય પરિવારો કેનેડામાં સેટલ થયા છે. કેનેડામાં શીખો ઉપરાંત ભારતીયો પણ મોટી સંખ્‍યામાં છે. આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત અને તમિલનાડુથી સૌથી વધારે સ્‍ટુડન્‍ટ કેનેડા જાય છે

Related posts

બિલાવલ ભટ્ટો બાદ પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારત વિશે ઝેર ઓક્યું

Ahmedabad Samay

મોદીના પ્રયાસોથી રશિયા યુક્રેન વચ્ચેનુ યુદ્ધ રોકી શકાય છે

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

ગજબનો જીવો પ્રતેય પ્રતેય, વંદાને હોસ્પિટલ લઇ જવાયો

Ahmedabad Samay

રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટના માટે બેદરકારી અને ખામીયુક્ત ઇંધણ સ્વીચને જવાબદાર ગણાવીને બોઇંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો