ગુજરાતની રાજનીતિમાં પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી બાદ રાજનૈતિક માહોલ ગરમાયો હતો. પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.
તેમણે વિડીયો દ્વારા અને ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં જાહેરમાં માફી પણ માંગી હતી. પરંતુ આજે પરષોત્તમ રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો હતો. સભામાં તેમને કહ્યું હતું કે “ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જીસે રોશન ખુદા કરે.
