March 10, 2026
Other

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવ અને પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ ફરી એકવાર મળ્‍યા હતા. અચાનક મળેલી બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથે મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા અને સાંજે છિંદવાડા કલેક્‍ટરને હટાવ્‍યા. કલેકટરની અચાનક બદલીને પણ આ બેઠક સાથે જોડવામાં આવી રહી છે.

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણથી વધુ વખત મુખ્‍યમંત્રી મોહન યાદવને મળ્‍યા છે. એક વખત મુખ્‍યમંત્રી પોતે કમલનાથને તેમના બંગલે મળવા ગયા હતા. મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા બાદ પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે તેઓ છિંદવાડા વિશે વાત કરવા આવ્‍યા હતા.

આ સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. ભાજપના નેતાઓ સાથે કમલનાથની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું હતું.

રાજ્‍યસભાના સભ્‍ય વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ કહ્યું કે એવું માની શકાય નહીં કે કમલનાથ-નકુલનાથ કયાંય જઈ રહ્યા છે.કમલ નાથનો કોંગ્રેસ સાથે ઊંડો સંબંધ છે. પરિવર્તનનો સમય છે તેથી કશું કહી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે મારા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું કોંગ્રેસમાં જઈ રહ્યો છું. હવે ચર્ચા એ છે કે આ બેઠક વારંવાર કેમ થઈ રહી છે.

Related posts

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી મહારાષ્ટ્ર ના મુંબ્રા અને દિવા રેલવે સ્‍ટેશનો વચ્‍ચે રવિવારે  દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

DSC સ્કૂલ દ્વારા અબોલ પક્ષીની રક્ષા કરવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ નકરવા અર્થે રેલીનો આયોજન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો