August 8, 2026
Other

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવ અને પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ ફરી એકવાર મળ્‍યા હતા. અચાનક મળેલી બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથે મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા અને સાંજે છિંદવાડા કલેક્‍ટરને હટાવ્‍યા. કલેકટરની અચાનક બદલીને પણ આ બેઠક સાથે જોડવામાં આવી રહી છે.

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણથી વધુ વખત મુખ્‍યમંત્રી મોહન યાદવને મળ્‍યા છે. એક વખત મુખ્‍યમંત્રી પોતે કમલનાથને તેમના બંગલે મળવા ગયા હતા. મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા બાદ પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે તેઓ છિંદવાડા વિશે વાત કરવા આવ્‍યા હતા.

આ સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. ભાજપના નેતાઓ સાથે કમલનાથની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું હતું.

રાજ્‍યસભાના સભ્‍ય વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ કહ્યું કે એવું માની શકાય નહીં કે કમલનાથ-નકુલનાથ કયાંય જઈ રહ્યા છે.કમલ નાથનો કોંગ્રેસ સાથે ઊંડો સંબંધ છે. પરિવર્તનનો સમય છે તેથી કશું કહી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે મારા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું કોંગ્રેસમાં જઈ રહ્યો છું. હવે ચર્ચા એ છે કે આ બેઠક વારંવાર કેમ થઈ રહી છે.

Related posts

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

માંગરોળમાં પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ પતિએ યુવાનના માથામાં લાકડું ફટકાર્યું

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો