May 7, 2026
Other

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવ અને પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ ફરી એકવાર મળ્‍યા હતા. અચાનક મળેલી બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથે મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા અને સાંજે છિંદવાડા કલેક્‍ટરને હટાવ્‍યા. કલેકટરની અચાનક બદલીને પણ આ બેઠક સાથે જોડવામાં આવી રહી છે.

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણથી વધુ વખત મુખ્‍યમંત્રી મોહન યાદવને મળ્‍યા છે. એક વખત મુખ્‍યમંત્રી પોતે કમલનાથને તેમના બંગલે મળવા ગયા હતા. મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા બાદ પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે તેઓ છિંદવાડા વિશે વાત કરવા આવ્‍યા હતા.

આ સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. ભાજપના નેતાઓ સાથે કમલનાથની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું હતું.

રાજ્‍યસભાના સભ્‍ય વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ કહ્યું કે એવું માની શકાય નહીં કે કમલનાથ-નકુલનાથ કયાંય જઈ રહ્યા છે.કમલ નાથનો કોંગ્રેસ સાથે ઊંડો સંબંધ છે. પરિવર્તનનો સમય છે તેથી કશું કહી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે મારા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું કોંગ્રેસમાં જઈ રહ્યો છું. હવે ચર્ચા એ છે કે આ બેઠક વારંવાર કેમ થઈ રહી છે.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્‍તારમાં આજે વહેલી સવારથી મનપા અને પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો