July 4, 2026
Other

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

શીખ સમુદાયે “અબ કી બાર ૪૦૦ પાર, હર બાર મોદી સરકાર”ના નારા લગાવ્યા હતા તાજેતરમાં ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત શીખ સમાજ સંમેલનમાં ભાજપાના રાષ્ટ્રીયમંત્રી મનજીન્દરસિંઘ સિરસા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણી, જસમેનસિંઘ નૌની,અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પ્રદેશ કન્વીનર અતુલભાઈ મિશ્રા, ભાજપ ગુજરાત પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સમિતિના નરેન્દ્રસિંહ પુરોહિત, શ્રીમતી પરમજીત કૌર છાબડા અને સ્થાનિક બોર્ડના કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા,

ભાજપા ભાષાભાષી સેલ દ્વારા આયોજિત આ સંમેલનમાં વિજયભાઈ રૂપાણી અને મનજીન્દરસિંઘ સિરસાજીએ શીખ સમુદાય માટે મોદીજીએ કરેલા વિકાસશીલ કાર્યોનો ઉલ્લેખ કરીને મતદાન કરવા અપીલ કરી હતી,

 

આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ ભાષાભાષી ગુજરાત રાજ્ય ચૂંટણી વ્યવસ્થા સમિતિ સભ્ય તેમજ શીખ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી પરમજીત કૌર છાબડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને શીખ સમાજ અને વડાપ્રધાન મોદીજી ના વિશેષ સંબંધ અને તેમની ભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે સાથે “અબ કી બાર ૪૦૦ પાર હર બાર મોદી સરકાર”ની સાથે સમાજના સૂત્ર સાથે મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને રાજેન્દ્રસિંઘ જડાવરજીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- કેયુર ઠકકર ( અમદાવાદ )

Related posts

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્‍તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો