May 15, 2026
Other

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

શીખ સમુદાયે “અબ કી બાર ૪૦૦ પાર, હર બાર મોદી સરકાર”ના નારા લગાવ્યા હતા તાજેતરમાં ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત શીખ સમાજ સંમેલનમાં ભાજપાના રાષ્ટ્રીયમંત્રી મનજીન્દરસિંઘ સિરસા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણી, જસમેનસિંઘ નૌની,અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પ્રદેશ કન્વીનર અતુલભાઈ મિશ્રા, ભાજપ ગુજરાત પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સમિતિના નરેન્દ્રસિંહ પુરોહિત, શ્રીમતી પરમજીત કૌર છાબડા અને સ્થાનિક બોર્ડના કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા,

ભાજપા ભાષાભાષી સેલ દ્વારા આયોજિત આ સંમેલનમાં વિજયભાઈ રૂપાણી અને મનજીન્દરસિંઘ સિરસાજીએ શીખ સમુદાય માટે મોદીજીએ કરેલા વિકાસશીલ કાર્યોનો ઉલ્લેખ કરીને મતદાન કરવા અપીલ કરી હતી,

 

આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ ભાષાભાષી ગુજરાત રાજ્ય ચૂંટણી વ્યવસ્થા સમિતિ સભ્ય તેમજ શીખ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી પરમજીત કૌર છાબડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને શીખ સમાજ અને વડાપ્રધાન મોદીજી ના વિશેષ સંબંધ અને તેમની ભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે સાથે “અબ કી બાર ૪૦૦ પાર હર બાર મોદી સરકાર”ની સાથે સમાજના સૂત્ર સાથે મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને રાજેન્દ્રસિંઘ જડાવરજીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- કેયુર ઠકકર ( અમદાવાદ )

Related posts

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો