May 8, 2026
ગુજરાત

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

બાળકોના જન્‍મ પ્રમાણ પત્રમાં સુધારા મામલે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. જેમાં બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણ પત્ર માટે મહત્‍વનો નિર્ણય છે. તેમાં બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર રહેશે નહીં. બાળકોના આધાર પ્રમાણે જન્‍મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે. જેમાં રાજય સરકાર દ્વારા જન્‍મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્‍પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્‍મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્‍મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્‍યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્‍ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

Related posts

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

Ahmedabad Samay

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો