વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોને ઇંધણ અને ઉર્જા બચાવવા માટે કરેલી સાદી વિનંતીએ દેશમાં ભલે રાજકીય વિવાદ છેડ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે સ્થિતિ અત્યંત ગંભીર છે. વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખોરવાયેલી સપ્લાય ચેઈનને લીધે વિકસિત અને વિકાસશીલ દેશો હવે પેટ્રોલ-ડીઝલના વપરાશ પર સીધો અંકુશ લગાવી રહ્યા છે, જે ઉર્જા અસુરક્ષાના નવા યુગના સંકેત આપે છે.
પાડોશી દેશોની હાલત આ સંકટમાં સૌથી વધુ કફોડી બની છે. પાકિસ્તાને ઇંધણ બચાવવા માટે અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કાર્ય દિવસ અને 50% વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે, જ્યારે શ્રીલંકાએ શાળાઓ બંધ કરી QR કોડ દ્વારા પેટ્રોલનું રેશનિંગ શરૂ કરી દીધું છે. દક્ષિણ કોરિયા જેવા દેશોએ સરકારી વાહનો માટે ઓડ-ઈવન સિસ્ટમ અમલમાં મૂકી છે. આ કડક પગલાં પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થનારો અણધાર્યો વધારો અને વીજળી સંકટથી અર્થતંત્રને બચાવવાનો સરકારોનો ભય છે.
માત્ર પરિવહન જ નહીં, પણ વીજળી બચાવવા માટે એર કંડિશનર પર પણ કાતર ફેરવવામાં આવી રહી છે. બાંગ્લાદેશ, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોએ સરકારી ઓફિસોમાં એસીનું તાપમાન 24°C થી 26°C વચ્ચે ફિક્સ કરી દીધું છે, જ્યારે સિંગાપોર પંખાના વપરાશ પર ભાર આપી રહ્યું છે. જે નિયમોને ભારતમાં ‘અઘોષિત કટોકટી’ ગણવામાં આવે
