June 22, 2026
ગુજરાત

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

બાળકોના જન્‍મ પ્રમાણ પત્રમાં સુધારા મામલે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. જેમાં બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણ પત્ર માટે મહત્‍વનો નિર્ણય છે. તેમાં બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર રહેશે નહીં. બાળકોના આધાર પ્રમાણે જન્‍મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે. જેમાં રાજય સરકાર દ્વારા જન્‍મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્‍પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્‍મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્‍મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્‍યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્‍ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

Related posts

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના પાવનધામ ખાતે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો અનોખો કૂકિંગ શો યોજવામાં આવ્યો

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

દેશના સૌપ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સી૨૯૫ મિલિટ્રી ટ્રાન્સપોર્ટેશન પ્લેનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો