February 13, 2026
ગુજરાત

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

બાળકોના જન્‍મ પ્રમાણ પત્રમાં સુધારા મામલે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. જેમાં બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણ પત્ર માટે મહત્‍વનો નિર્ણય છે. તેમાં બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર રહેશે નહીં. બાળકોના આધાર પ્રમાણે જન્‍મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે. જેમાં રાજય સરકાર દ્વારા જન્‍મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્‍પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્‍મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્‍મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્‍યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્‍ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

Related posts

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

અંબાજીના અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

સાબરમતી વિસ્તારમાંથી ચોરીની ઘટના વિશે તપાસ કરતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો