March 23, 2026
ગુજરાત

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

બાળકોના જન્‍મ પ્રમાણ પત્રમાં સુધારા મામલે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. જેમાં બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણ પત્ર માટે મહત્‍વનો નિર્ણય છે. તેમાં બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર રહેશે નહીં. બાળકોના આધાર પ્રમાણે જન્‍મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે. જેમાં રાજય સરકાર દ્વારા જન્‍મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્‍પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્‍મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્‍મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્‍યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્‍ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

Related posts

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

શ્રી મહેશસિંહ કુશવાહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો