ગતરોજ આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બરોડા થી થોડા અંતરે આવેલ સમાજના કુળદેવી આઇ શ્રી તુલજાભવાનીના દર્શન કરી, ગળતેશ્વર અને ડાકોર એમ ત્રણ ધાર્મિક સ્થળના દર્શન કરવામાં આવ્યા હતા, પ્રવાસ દમિયાન જમવાનું અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,
ત્રણે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ તમામ પ્રવાસીઓએ ધન્યતા અનુભવયો હતો અને ગળતેશ્વર મંદિરે આવેલ નદીમાં સ્નાન કરી નાના બાળકોના અને સૌને મજા આવી હતી અને સમાજના લોકોએ એક બીજા સાથે આનંદની પળ માણી હતી પ્રવાસની તમામ વ્યવસ્થામાં સમાજના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ દેવલેકરનો મોટો ફાળો રહ્યો હતો.
