May 9, 2026
ગુજરાત

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને સમન્સ પાઠવવા માટે સેશનમાં અરજી કરી છે. અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટે ગુજરાત સરકાર અને યુનિવર્સિટીને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે.

અરવિંદ કેજરીવાલે અમદાવાદની નીચલી કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કેજરીવાલે સેશનમાં દાખલ કરેલી અરજીમાં સમન્સને લઈને કેટલાક પાસાઓ રજૂ કર્યા છે. કેજરીવાલ ઉપરાંત રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે અમદાવાદની નીચલી કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યસભા સાંસદ સંજય સિંહને અરવિંદ કેજરીવાલ સાથે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. છેલ્લી સુનાવણી પર, બંને નેતાઓને દિલ્હીમાં પૂરને ટાંકીને હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો.

હવે અરવિંદ કેજરીવાલે રિવિઝન અરજી દાખલ કરીને સેશનમાં સમન્સને પડકાર્યો છે અને કહ્યું છે કે સમન્સની અધિકૃતતા યોગ્ય નથી. યુનિવર્સિટીએ જે આધારે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે તેનાથી કોઈ કેસ જ નથી થતો. સાક્ષીઓએ જે કહ્યું છે તેમાં અપમાનજનક કંઈ નથી. આ સિવાય કેજરીવાલે દાખલ કરેલી રિવિઝન અરજીમાં માનહાનિના કેસમાં સમન્સ પર અન્ય અનેક ટેકનિકલ પાસાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Related posts

સાબરકાંઠામાં યુ.એફ.ઓ. દેખાઇ, આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ, જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ

Ahmedabad Samay

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો