April 10, 2026
ગુજરાત

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને સમન્સ પાઠવવા માટે સેશનમાં અરજી કરી છે. અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટે ગુજરાત સરકાર અને યુનિવર્સિટીને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે.

અરવિંદ કેજરીવાલે અમદાવાદની નીચલી કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કેજરીવાલે સેશનમાં દાખલ કરેલી અરજીમાં સમન્સને લઈને કેટલાક પાસાઓ રજૂ કર્યા છે. કેજરીવાલ ઉપરાંત રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે અમદાવાદની નીચલી કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યસભા સાંસદ સંજય સિંહને અરવિંદ કેજરીવાલ સાથે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. છેલ્લી સુનાવણી પર, બંને નેતાઓને દિલ્હીમાં પૂરને ટાંકીને હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો.

હવે અરવિંદ કેજરીવાલે રિવિઝન અરજી દાખલ કરીને સેશનમાં સમન્સને પડકાર્યો છે અને કહ્યું છે કે સમન્સની અધિકૃતતા યોગ્ય નથી. યુનિવર્સિટીએ જે આધારે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે તેનાથી કોઈ કેસ જ નથી થતો. સાક્ષીઓએ જે કહ્યું છે તેમાં અપમાનજનક કંઈ નથી. આ સિવાય કેજરીવાલે દાખલ કરેલી રિવિઝન અરજીમાં માનહાનિના કેસમાં સમન્સ પર અન્ય અનેક ટેકનિકલ પાસાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Related posts

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

ધો.૧૦ પાસ યુવાનો માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માં એક સુવર્ણ તક, કોસ્ટ ગાર્ડમાં ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો