May 2, 2026
ગુજરાત

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ શહેરના રિક્ષા ડ્રાઇવરો ‘રોજી-રોટી બચાવ આંદોલન’ કરવાના છે જેમાં રિક્ષાચાલકોની ૨૪મીના રોજ હડતાળ કરવાના છે. આ આંદોલનમાં એપ્લિકેશન થકી ચાલતા ટુ વ્હીલર બંધ કરવા ઉગ્ર માગણી કરવામાં આવી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડોની હેરાનગતિ બંધ કરવા સહિતની માગણીઓ કરવામાં આવશે. તથા નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે.

શહેરના રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી, આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. આ સાથે ટેક્સી યુનિયને પણ વિવિધ માગો અંગે સ્પષ્ટતા નહીં આવે તો આ હડતાળને ટેકો આપવાની પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ થાય અને ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપીડો કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી અમારી માગણી છે. આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરાઈ છે. નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે. જો સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવે તો અચોક્કસ મુદત માટે રિક્ષાચાલકો ઉતરશે. આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનમાં ટેક્સી યુનિયન પણ જોડાયેલ છે.

Related posts

સર્કિટ હાઉસ ખાતે NCP પક્ષના હોદેદારો અને કાર્યકર્તા ની પ્રદેશ અને શહેર કારોબારી અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

બુલેટ ટ્રેનનું સાબરમતી નદી ઉપરાંત, નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓ પર પણ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં

Ahmedabad Samay

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

અમદાવાદ: રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી ગુજરાતના 4 યાત્રાળુઓના મોત, એક જ કારમાં હતા સવાર

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો