અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલને કોઈપણ ક્ષણે કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન ટેન્ક ઉપરાંત બાય પેપ અને ઓક્સિજન ધરાવતા બેડ પણ તૈયાર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
કોરોનાની ઓછી અસર ધરાવતા દર્દીઓને ઓક્સિજન ખૂટી પડે તો તેવા દર્દીઓને સારવાર આપવા માટે 600 બેડ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે તેની સાથે સિવિલ હોસ્પિટલના 7450 વેન્ટિલેટરને પણ ચકાસણી કરવા માટે નોડલ ઓફિસરોને સૂચના અપાઇ છે.
