May 9, 2026
Other

બજેટ ૧૦ મહત્‍વપૂર્ણ વાતો

નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ખેડૂતોથી લઈને કરદાતાઓ સુધી દરેક માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણે ૨૦૨૫-૨૬ ના બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્‍સ નહીં લાગે. તે જ સમયે, ખેડૂતો માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી.

૧. નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૫-૨૬ના બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્‍સ નહીં લાગે.

૨. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) માટે વ્‍યાજ સબસિડી યોજનાની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી.

૩. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ‘પ્રધાનમંત્રી ધન ધન્‍ય કળષિ યોજના’ની જાહેરાત કરી. આ હેઠળ, ઓછી ઉપજ, આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન ધોરણો ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. સતત આઠમું બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહયું કે આ યોજનાથી ૧.૭ કરોડ ખેડૂતોને લાભ થશે.

૪. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્‍યું હતું કે સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરશે, જે ‘‘પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો” ના ખ્‍યાલને આગળ ધપાવશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્‍યક્ષ રોકાણ (FDI) ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું બજેટ રજૂ કરતી વખતે, સીતારમણે કહ્‍યું કે છેલ્લા ૧૦ વર્ષમાં, સરકારે કરદાતાઓની સુવિધા માટે ઘણા સુધારા અમલમાં મૂક્‍યા છે, જેમાં ‘ફેસલેસ’ આકારણીનો સમાવેશ થાય છે.

૬. કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્‍પિટલોમાં ડે કેર કેન્‍સર સેન્‍ટર સ્‍થાપવાની સુવિધા આપશે અને આ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં આમાંથી ૨૦૦ સેન્‍ટર સ્‍થાપવામાં આવશે. કેન્‍દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે, સીતારમણે કહ્‍યું કે પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના (PM–JAY) હેઠળ ‘ગિગ વર્કસ’ ને આરોગ્‍ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

૭. સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જણાવ્‍યું હતું કે આગામી પાંચ વર્ષમાં ૭૫,૦૦૦ બેઠકો ઉમેરવાના લક્ષ્યાંક સામે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્‍પિટલોમાં ૧૦,૦૦૦ વધારાની બેઠકો ઉમેરવામાં આવશે.

૯. ભારતને સમગ્ર વિશ્વમાં રમકડાનું કેન્‍દ્ર બનાવવામાં આવશે.

૧૦. બિહારના લોકોની આવક વધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે.

Related posts

આેઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં હોળીની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો