June 15, 2026
Other

બજેટ ૧૦ મહત્‍વપૂર્ણ વાતો

નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ખેડૂતોથી લઈને કરદાતાઓ સુધી દરેક માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણે ૨૦૨૫-૨૬ ના બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્‍સ નહીં લાગે. તે જ સમયે, ખેડૂતો માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી.

૧. નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૫-૨૬ના બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્‍સ નહીં લાગે.

૨. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) માટે વ્‍યાજ સબસિડી યોજનાની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી.

૩. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ‘પ્રધાનમંત્રી ધન ધન્‍ય કળષિ યોજના’ની જાહેરાત કરી. આ હેઠળ, ઓછી ઉપજ, આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન ધોરણો ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. સતત આઠમું બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહયું કે આ યોજનાથી ૧.૭ કરોડ ખેડૂતોને લાભ થશે.

૪. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્‍યું હતું કે સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરશે, જે ‘‘પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો” ના ખ્‍યાલને આગળ ધપાવશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્‍યક્ષ રોકાણ (FDI) ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું બજેટ રજૂ કરતી વખતે, સીતારમણે કહ્‍યું કે છેલ્લા ૧૦ વર્ષમાં, સરકારે કરદાતાઓની સુવિધા માટે ઘણા સુધારા અમલમાં મૂક્‍યા છે, જેમાં ‘ફેસલેસ’ આકારણીનો સમાવેશ થાય છે.

૬. કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્‍પિટલોમાં ડે કેર કેન્‍સર સેન્‍ટર સ્‍થાપવાની સુવિધા આપશે અને આ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં આમાંથી ૨૦૦ સેન્‍ટર સ્‍થાપવામાં આવશે. કેન્‍દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે, સીતારમણે કહ્‍યું કે પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના (PM–JAY) હેઠળ ‘ગિગ વર્કસ’ ને આરોગ્‍ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

૭. સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જણાવ્‍યું હતું કે આગામી પાંચ વર્ષમાં ૭૫,૦૦૦ બેઠકો ઉમેરવાના લક્ષ્યાંક સામે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્‍પિટલોમાં ૧૦,૦૦૦ વધારાની બેઠકો ઉમેરવામાં આવશે.

૯. ભારતને સમગ્ર વિશ્વમાં રમકડાનું કેન્‍દ્ર બનાવવામાં આવશે.

૧૦. બિહારના લોકોની આવક વધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે.

Related posts

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

હવે નરોડામાં મધ્યમવર્ગી બાળક પણ ભણશે સ્માર્ટ સ્કૂલમાં, નરોડામાં બનશે પ્રાઇવેટ સ્કૂલને માત આપતી સ્માર્ટ સ્કૂલ

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો