June 15, 2026
Other

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી બે દિવસ બાદ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી સામાન્ય રીતે શુષ્ક હવામાન રહેશે. લઘુત્તમ તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. અમુક વિસ્તારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં આવતીકાલે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 31.8 ડિગ્રી, મહુવામાં 30.4, રાજકોટમાં 30.3, નલિયામાં 30.2, વડોદરામાં 30, અમદાવાદમાં 29.8, અમરેલીમાં 29.8, સુરેન્દ્રનગરમાં 29.8, પોરબંદરમાં 29.5, ડીસામાં 29.1, કેશોદમાં 28.6, ભુજમાં 28.4, વલ્લભ વિદ્યાનગરમાં 28.3 દ્વારકામાં 28.3, કંડલા પોર્ટમાં 28, ભાવનગરમાં 27.9, ગાંધીનગરમાં 27.8, વેરાવળમાં 27.8, ઓખામાં 26.4 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8.8 ડિગ્રી, ડીસામાં 10.8, કેશોદમાં 11.1, ગાંધીનગરમાં 11.5, અમદાવાદમાં 12, રાજકોટમાં 12.3, મહુવામાં 13.1, પોરબંદરમાં 13.3, ભુજમાં 13.4, વડોદરામાં 13.6, સુરેન્દ્રનગરમાં 13.6, અમરેલીમાં 14.3, કંડલા પોર્ટમાં 14.8, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, ભાવનગરમાં 15.2, વેરાવળમાં 15.9, સુરતમાં 16.6, દ્વારકામાં 16.7, ઓખામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

Related posts

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

Ahmedabad Samay

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

આેઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં હોળીની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો