March 20, 2026
જીવનશૈલીતાજા સમાચાર

હાશ લૉન થઇ સસ્તી,લોન લેવી સસ્‍તી થશે. તેમજ તેમનો EMI બોજ પણ ઓછો થશે જે મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

મધ્‍યમ વર્ગને આવકવેરામાં રાહત આપ્‍યા બાદ હવે મધ્‍યમ વર્ગને સસ્‍તી લોનની ભેટ મળી. નવા RBI ગવર્નર સંજય મલ્‍હોત્રાના નેતળત્‍વમાં મળેલી નાણાકીય નીતિ સમિતિ (MPC) ની પ્રથમ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. MPC એ લગભગ પાંચ વર્ષ પછી રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે રેપો રેટ છેલ્લા બે વર્ષથી ૬.૫૦ ટકા પર સ્‍થિર હતો.હવે લોકો માટે લોન લેવી સસ્‍તી થશે. તેમજ તેમનો EMI બોજ પણ ઓછો થશે.

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્‍યમ વર્ગને મોટી રાહત આપી છે. રેપો રેટમાં આ ઘટાડો ૨૫ બેસિસ પોઈન્‍ટનો છે, જેના કારણે વર્તમાન રેપો રેટ હવે ૬.૨૫ ટકા થઈ ગયો છે. રેપો રેટમાં આ ઘટાડો ૫ વર્ષ પછી કરવામાં આવ્‍યો છે. આ પહેલા, રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) એ મે ૨૦૨૦ માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. જોકે તે પછી ધીમે ધીમે તેને વધારીને ૬.૫ ટકા કરવામાં આવ્‍યું. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્‍યો હતો.

મલ્‍હોત્રાએ કહ્યું કે બેઠકમાં આર્થિક વિકાસ પર ચર્ચા થઈ. મલ્‍હોત્રાએ વધુમાં કહ્યું કે અમે બેઠકમાં નિર્ણય લીધો છે કે રેપો રેટ ઘટાડવામાં આવી રહ્યો છે. હવે રેપો રેટ ૬.૫૦ થી ઘટાડીને ૬.૨૫ કરવામાં આવી રહ્યો છે. રેપો રેટમાં ઘટાડા બાદ, તમારી લોનની EMI હવે ઓછી થશે.

મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક બુધવાર, ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, જેમાં ૭ ફેબ્રુઆરીએ વ્‍યાજ દરો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. સંજય મલ્‍હોત્રા RBI ગવર્નર બન્‍યા પછી આ બેઠક પહેલી વાર થઈ છે. ડિસેમ્‍બર ૨૦૨૪માં શક્‍તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થયા પછી તેમણે પદ સંભાળ્‍યું.

મલ્‍હોત્રાએ કહ્યું કે વિશ્વની આર્થિક સ્‍થિતિ હજુ પણ મુશ્‍કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે ‘વિશ્વભરમાં ફુગાવામાં ઘટાડાની ગતિ અટકી ગઈ છે. વૈશ્વિક અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. તે જ સમયે, વૈશ્વિક સ્‍તરે ફુગાવો પણ વધી રહ્યો છે. ફેડરલ રિઝર્વ બેંક દ્વારા પણ દરોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ભૂ-રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્‍યવસ્‍થા પ્રભાવિત થઈ રહી છે. ભારતીય રૂપિયો હાલમાં દબાણ હેઠળ છે. રિઝર્વ બેંક સામે ઘણા મોટા પડકારો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫ માં વાસ્‍તવિક GDP વળદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૮.૨ ટકાથી વધુ છે. આગામી વર્ષોમાં GDP માં સુધારો થશે. ઉત્‍પાદન ક્ષેત્રમાં સુધારો થયો છે. ખાણકામ ક્ષેત્રમાં પણ સુધારો થયો છે. છેલ્લા ક્‍વાર્ટરમાં PMI સેવામાં ઘટાડો થયો. ગ્રામીણ વિસ્‍તારોમાં માંગ વધી રહી છે.

ગવર્નર સંજય મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે આ નાણાકીય વર્ષમાં રેપો રેટ ફુગાવો ૪.૭ ટકા રહેવાની ધારણા છે. ભવિષ્‍યમાં ફુગાવાનો દર વધુ ઘટશે.

Related posts

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

બોલીવૂડના મહાનાયક થી લઇ ક્રિકેટના ભગવાન પણ આવે છે અહીં મોજડી ખરીદવા

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Ahmedabad Samay

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

Ahmedabad Samay

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો