May 8, 2026
મનોરંજન

પ્રેમનો માસ ફેબ્રુઆરીમાં અમિતાભ બચ્ચનની સિલસિલા, શ્રીદેવીની ‘ચાંદની’ અને અન્ય મુવી 4Kમાં થશે ફરી રિલીઝ

ફેબ્રુઆરી એટલે પ્રેમની મોસમ ફરી પાછી આવી ગઈ છે અને આ વખતે તે વધુ ખાસ બનવા જઈ રહી છે કારણ કે કેટલીક અદભૂત કલાસિક ફિલ્મો ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. અમિતાભ બચ્ચનની સિલસિલા, શ્રીદેવીની ‘ચાંદની’, રાજ કપૂરની ‘આવારા’ અને રાજેશ ખન્નાની ‘આરાધના’, ફરીથી રિલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મોની લાઇનઅપમાં છે. આ ચાર ફિલ્મો મોટા પડદા પર ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. નેશનલ ફિલ્મ આર્કાઇવ મિશન હેઠળ નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વારા 4K વર્ઝનમાં ફિલ્મો થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે.

દિવંગત મહાન ફિલ્મ નિર્માતા યશ ચોપરાની સિલસિલા વેલેન્ટાઇન સપ્તાહના પહેલા દિવસે એટલે કે આજે રિલીઝ થશે. આ ફિલ્મ મૂળ ૧૯૮૧માં રિલીઝ થઈ હતી, જેમાં અમિતાભ બચ્ચન, રેખા, જયા બચ્ચન અને શશિ કપૂર પણ હતા. આ ફિલ્મ તેના ‘દેખા એક ખ્વાબ’ અને ‘યે કહાં આ ગયે હમ’ જેવા સદાબહાર ગીતો માટે પણ ખૂબ જ લોકપ્રિય છે.

આ પછી, શ્રીદેવીની ફિલ્મ ચાંદની આવશે જે વેલેન્ટાઇન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ફરીથી રિલીઝ થવા માટે તૈયાર છે. તેનું દિગ્દર્શન પણ યશ ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી, ઋષિ કપૂર અને વિનોદ ખન્ના સાથે અભિનય કર્યો હતો.

આ ઉપરાંત, રાજ કપૂરની ક્રાઈમ–ડ્રામા ફિલ્મ ‘આવારા’ ૨૧ ફેબ્રુઆરીએ પીવીઆર અને આઈનોકસ થિયેટરોમાં ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. મૂળ ૧૯૫૧માં રિલીઝ થયેલી આ ફિલ્મને રાજ કપૂર, નરગીસ અને પૃથ્વીરાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલી શ્રેષ્ઠ હિન્દી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ સાથે, રાજેશ ખન્નાની આગામી ફિલ્મ ‘આરાધના’ છે, જે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે.

પીવીઆર સિનેમાસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જાહેરાત કરતા કેપ્શન આપ્યું, ”આ રોમાંસના મહિનામાં પ્રેમને તમારામાં વહેવા દો!” અમે કલાસિક ફિલ્મ આરાધના સહિત, પ્રતિષ્ઠિત વાર્તાઓને મોટા પડદા પર પાછી લાવી રહ્રયા છીએ. તે 4K વર્ઝનમાં બતાવવામાં આવશે.

Related posts

Preeti Jhangiani: મોહબ્બતેં ફિલ્મની સંસ્કારી ‘કિરણ’ હવે થઈ ગઈ ખૂબ જ બોલ્ડ, સેક્સી ડ્રેસમાં હસીનાને ઓળખવી મુશ્કેલ!

Ahmedabad Samay

પ્રભાસ અને ક્રિતી સેનની ‛આદિપુરૂષ’ આજથી થઇ રિલીઝ

Ahmedabad Samay

ડોન 3માં શાહરૂખ ખાનનું સ્થાન લેશે આ અભિનેતા, નામ સાંભળીને તમે ચોંકી જશો

Ahmedabad Samay

આદિત્ય નારાયણના એક ફેનના હાથ પર માઈક મારી તેના હાથમાંથી ફોન લઈ અને દૂર ફેંકી દીધો

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

સોનાક્ષી સિન્હાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને જાણકારી આપી કે તેણે સગાઈ કરી લીધી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો