March 23, 2026
મનોરંજન

પ્રેમનો માસ ફેબ્રુઆરીમાં અમિતાભ બચ્ચનની સિલસિલા, શ્રીદેવીની ‘ચાંદની’ અને અન્ય મુવી 4Kમાં થશે ફરી રિલીઝ

ફેબ્રુઆરી એટલે પ્રેમની મોસમ ફરી પાછી આવી ગઈ છે અને આ વખતે તે વધુ ખાસ બનવા જઈ રહી છે કારણ કે કેટલીક અદભૂત કલાસિક ફિલ્મો ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. અમિતાભ બચ્ચનની સિલસિલા, શ્રીદેવીની ‘ચાંદની’, રાજ કપૂરની ‘આવારા’ અને રાજેશ ખન્નાની ‘આરાધના’, ફરીથી રિલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મોની લાઇનઅપમાં છે. આ ચાર ફિલ્મો મોટા પડદા પર ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. નેશનલ ફિલ્મ આર્કાઇવ મિશન હેઠળ નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વારા 4K વર્ઝનમાં ફિલ્મો થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે.

દિવંગત મહાન ફિલ્મ નિર્માતા યશ ચોપરાની સિલસિલા વેલેન્ટાઇન સપ્તાહના પહેલા દિવસે એટલે કે આજે રિલીઝ થશે. આ ફિલ્મ મૂળ ૧૯૮૧માં રિલીઝ થઈ હતી, જેમાં અમિતાભ બચ્ચન, રેખા, જયા બચ્ચન અને શશિ કપૂર પણ હતા. આ ફિલ્મ તેના ‘દેખા એક ખ્વાબ’ અને ‘યે કહાં આ ગયે હમ’ જેવા સદાબહાર ગીતો માટે પણ ખૂબ જ લોકપ્રિય છે.

આ પછી, શ્રીદેવીની ફિલ્મ ચાંદની આવશે જે વેલેન્ટાઇન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ફરીથી રિલીઝ થવા માટે તૈયાર છે. તેનું દિગ્દર્શન પણ યશ ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી, ઋષિ કપૂર અને વિનોદ ખન્ના સાથે અભિનય કર્યો હતો.

આ ઉપરાંત, રાજ કપૂરની ક્રાઈમ–ડ્રામા ફિલ્મ ‘આવારા’ ૨૧ ફેબ્રુઆરીએ પીવીઆર અને આઈનોકસ થિયેટરોમાં ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. મૂળ ૧૯૫૧માં રિલીઝ થયેલી આ ફિલ્મને રાજ કપૂર, નરગીસ અને પૃથ્વીરાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલી શ્રેષ્ઠ હિન્દી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ સાથે, રાજેશ ખન્નાની આગામી ફિલ્મ ‘આરાધના’ છે, જે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે.

પીવીઆર સિનેમાસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જાહેરાત કરતા કેપ્શન આપ્યું, ”આ રોમાંસના મહિનામાં પ્રેમને તમારામાં વહેવા દો!” અમે કલાસિક ફિલ્મ આરાધના સહિત, પ્રતિષ્ઠિત વાર્તાઓને મોટા પડદા પર પાછી લાવી રહ્રયા છીએ. તે 4K વર્ઝનમાં બતાવવામાં આવશે.

Related posts

પ્રભાસ અને ક્રિતી સેનની ‛આદિપુરૂષ’ આજથી થઇ રિલીઝ

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

Ahmedabad Samay

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

વિનોદ ખન્નાએ 44 વર્ષની ઉંમરે 16 વર્ષ નાની કવિતા સાથે બીજી વાર લગ્ન કર્યા હતાં, એડજસ્ટમેન્ટ કરવું પડ્યું હતું…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો