May 12, 2026
અપરાધગુજરાત

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તેમાં વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. તેમજ બન્ને આરોપીઓને રૂપિયા 1 લાખ દંડ અને દંડ ન ભરે તો છ માસની સજા ફટકારવામાં આવી છે.

અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી. ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે.

ગૌહત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ. અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. ‘ખાલી ગૌ હત્યારાને પકડતા નથી, સજા સુધી લડીએ છીએ’ ઈમરાન શેખ, મોશિનને 7 વર્ષની સજા.

ગૌહત્યા અને ગાયની તસ્કરીના કેસમાં વારંવાર ઝડપાતા ગુનેગારો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (મકોકા) લાગુ કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું . અહિલ્યા નગરમાં અતીક કુરેશી નામનો ગુનેગાર ગાય તસ્કરીના 20 કેસમાં સંડોવાયેલો હોવાનો મુદ્દો ઉઠયો હતો. તે સંદર્ભમાં ચર્ચાનો જવાબ આપતા સીએમએ આ ખાતરી આપી હતી.

બીજી તરફ ગૃહ રાજયમંત્રીએ પત્રકારો  સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે આખા દેશમાં ગુજરાત રાજય એવું છે આ ગોૈ- વંશ સંવર્ધનનો કાયદો લાવ્‍યા છીએ

Related posts

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

ગાંધીનગર: તપોવન સર્કલ પાસે રોડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકનું મોત, ટ્રક ડ્રાઇવર સામે ફરિયાદ

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ, મશહૂર ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો